Monday, September 10, 2018





વાત છે ફિલ્મ મેરા નામ જોકરની: 

રાજુ ઉર્ફે રાજકપૂર ફિલ્મના પોસ્ટર્સ ચીતરતો હોય છે ત્યારે એને છોકરાના વેશમાં રહેલ મીનુ માસ્ટર ઉર્ફે પદ્મિની (ફિલ્મની  બીજી  હિરોઈન) મળી જાય છે. એકલી ગટરના ભૂંગળાઓમાં રહેતી હોવાથી એની પાસે એણે એક વફાદાર કૂતરો (કદાચ મોતી) સાથે રાખ્યો છે. ત્રણેય દોસ્ત બની જાય છે અને ત્રિપુટી મેળાઓમાં ખેલ કરીને કમાવા લાગે છે. રાજુ જયારે કુલ કમાણીના ત્રણ ભાગ કરે છે, ત્યારે મીનુને નવાઈ લાગે છે અને લાગે છે કે એવી શી જરૂર છે કૂતરાનો ભાગ રાખવાની ? 

   એક દિવસ અચાનક રાજુને ખબર પડે છે કે મીનુ તો છોકરી છે, અને એને એ આઘાત લાગે છે કે આવી પાકી દોસ્તી અને વિશ્વાસ હોવા છતાં મીનુએ એનાથી વાત છુપાવી. મીનુ મીઠી મીઠી વાતો કરીને રાજુને મનાવી લે છે. 

    રાજુને હવે ખબર પડે છે કે મીનુના સપના તો મોટા છે. એકટ્રેસ બનવું છે એને. હવે એ ન્રુત્યના કાર્યક્રમો કરવા લાગે છે. ત્યાં મોતી ક્યાંક ખોવાઈ જાય છે. રાજુ દુ:ખી થઇ જાય છે. પણ મીનુ કહે છે, "હવે તો આમ પણ આપણે મોતીની જરૂર ક્યાં છે?" 
રાજુને ફરી આઘાત લાગે છે, કે જરૂર ન હોય એટલે જવા દેવાનું? ફરી મીનુ મીઠી મીઠી વાતો કરી, રાજુને મનાવે છે. 
     મીનુનું સપનું પૂરું કરવા રાજ એની મંડળીમાં ગવૈયા, બજવૈયા વિદૂષકને સેક્રેટરી પ્રકારનું કામ પણ કરે છે. 

એક દિવસ મીનુનો કાર્યક્રમ જોવા રાજેન્દ્રકુમાર (ફિલ્મમાં પણ હીરો રાજેન્દ્રકુમાર) આવે છે. અને મીનુને ફિલ્મની ઑફર આપે છે. રાજુ ખુશખુશાલ છે કે એમનું સંયુક્ત સપનું સાચું પડવા જઇ રહ્યું છે. 

પણ, મીનુને હવે રાજુની જરૂર નથી. એની દુનિયામાં હવે (મોતીની જેમ) રાજુનું પણ સ્થાન નથી..:) :)

No comments:

Post a Comment

નટસમ્રાટ

  નટસમ્રાટ (મરાઠી) નું વિકી પેઈજ ખોલીએ તો એની ઈન્ટ્રોનું પહેલું વાક્ય છે, "it is a tragedy about a Shakespearean veteran actor Ganpat...